મુંબઈઃ મહારાષ્ટ્રમાં મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે ફરી એકવાર  પોતાના મંત્રીમંડળનો વિસ્તાર (maharashtra cabinet expansion)કરવાના છે. સોમવારે મહારાષ્ટ્ર કોંગ્રેસના 12 ધારાસભ્યો પ્રદેશના મંત્રી પદના શપથ લેશે. મંત્રીઓના નામ પર રવિવારે નિર્ણય થઈ ગયો છે. આ મંત્રીઓમાંથી 10 મંત્રી કેબિનેટ રેન્કના હશે. મહારાષ્ટ્રના મંત્રી અને કોંગ્રેસના નેતા બાલાસાહેબ થોરાટે આ જાણકારી આપી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પહેલા મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં શિવસેનાએ કોંગ્રેસ અને નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ની સાથે મળીને પ્રદેશમાં સરકાર બનાવી હતી. ઉદ્ધવ ઠાકરેએ 28 નવેમ્બરે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન પદે શપથ લીધા હતા. ઉદ્ધવ ઠાકરેની સાથે જયંત પાટિલ, છગન ભુજબલ, એકનાથ શિંદે, સુભાષ દેસાઈ, બાલાસાહેબ થોરાટ અને નિતિન રાઉતે મંત્રી પદના શપથ લીધા હતા. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube