મુંબઈઃ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેના બીકેસી મેદાનમાં બનાવેલા મંચ પર તેમના સમર્થકો સિવાય ઉદ્ધવ ઠાકરેના પરિવારને છોડી બાલા સાહેબનો પરિવાર જોવા મળ્યો હતો. ઉદ્ધવના ભાઈ જયદેવ ઠાકરે પણ એકનાથ શિંદેને બીકેસીમાં શુભકામનાઓ આપવા પહોંચ્યા હતા. આ તકે તેમણે કહ્યું કે મુખ્યમંત્રીને હું ખુબ પસંદ કરુ છું અને તે મારી પસંદગીના સીએમ છે. તેમણે કહ્યું કે મહારાષ્ટ્રને આવા સીએમની જરૂર છે. અહીં બેઠેલા બધા લોકોને મારી અપીલ છે કે તે એકનાથ શિંદેને એકલા ન છોડે. એકનાથ શિંદેના મંચ પર જયદેવ ઠાકરે, તેમના પૂર્વ પત્ની સ્મિતા ઠાકરે, દિવંગત બિંદુ ઠાકરેના પુત્ર નિહાર ઠાકરે, ભાઈ માધવ ઠાકરે હાજર હતા. 


કિસાનની જેમ મહેનતુ છે મુખ્યમંત્રી
એકનાથ શિંદેની પ્રશંસા કરતા જયદેવ ઠાકરેએ કહ્યુ કે મુખ્યમંત્રી કોઈ કિસાનની જેમ મહેનતું છે. હું તો કહું છે કે બધુ સસ્પેન્ડ કરી મહારાષ્ટ્રમાં શિંદે રાજ આવવા દો. બીજીવાર ચૂંટણી કરાવો અને એકનાથ શિંદેને બીજીવાર ચૂંટી મુખ્યમંત્રી બનાવો. જયદેવ ઠાકરેએ કહ્યુ કે એકનાથ શિંદેએ કેટલાક એવા નિર્ણય લીધા છે. જેનાથી હું તેમનો ચાહક બની ગયો છું. તેથી હું કહુ છું કે મહારાષ્ટ્રને આવા મુખ્યમંત્રીની જરૂર છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube