મુંબઈના ઘાટકોપર વિસ્તારમાં પારેખ હોસ્પિટલ પાસે જૂનોઝ પિઝા રેસ્ટોરન્ટમાં આગ લાગી ગઈ. આ અકસ્માતમાં એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે. રેસ્ટોરન્ટમાં આગના કારણે પારેખ હોસ્પિટલમાં જે 22 લોકોને દાખલ કરાયા હતા તેમને બીજી હોસ્પિટલમાં શિફ્ટ કરાયા છે. એવું કહેવાય છે કે પિઝા રેસ્ટોરન્ટમાં આગ લાગવાના કારણે દર્દીઓને શ્વાસ લેવામાં મુશ્કેલી થવાની ફરિયાદ બાદ આ પગલું લેવાયું. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube