મુંબઈ: મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે રાજ્યપાલે આમંત્રણ આપ્યા બાદ શિવસેનાએ સરકાર  બનાવવા માટેની કવાયત ઝડપી બનાવી દીધી છે. અટકળો મુજબ શિવસેનાની શરદ પવારની પાર્ટી એનસીપી સાથે વાતચીત ચાલુ છે. આ કડીમાં શરદ પવારે એનસીપીના વરિષ્ઠ નેતાઓની એક બેઠક પણ યોજી હતી. જેમાં નક્કી કરાયું કે શિવસેનાને ટેકો આપવાના મુદ્દે કોંગ્રેસના નિર્ણય  બાદ એનસીપી પોતાના પત્તા ખોલશે. કોંગ્રેસના ટોચના નેતૃત્વની મહારાષ્ટ્ર પ્રદેશ શાખાની સાથે સાંજે 4 વાગે મહત્વની બેઠક થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહારાષ્ટ્રમાં સત્તાની લડાઈ: શિવસેનાને ટેકો આપવા અંગે NCPએ આપ્યું મહત્વનું નિવેદન, જાણો શું કહ્યું?


ત્યારબાદ મહારાષ્ટ્રની પળેપળ બદલાતી સ્થિતિને જોતા કહી શકાય કે સાંજે પાંચથી આઠ વાગ્યાની વચ્ચે સરકાર બનાવવાનો રસ્તો સ્પષ્ટ થઈ શકે છે. સૂત્રોના જણાવ્યાં મુજબ કોંગ્રેસ સાંજે 5 વાગે શિવસેનાને સમર્થન આપવા અંગે અંતિમ નિર્ણય લેશે. તેના અડધા કલાક બાદ એનસીપી, શિવસેનાને સમર્થન અંગેની જાહેરાત કરશે. ત્યારબાદ સાંજે સાત વાગ્યાની આસપાસ શિવસેનાનું પ્રતિનિધિ મંડળ ગવર્નરને મળશે અને સરકાર બનાવવાનો દાવો રજુ કરશે. ગવર્નરે શિવસેનાને આજે સાંજે સાડા સાત વાગ્યા સુધીનો જ સમય આપ્યો છે. 


મહારાષ્ટ્રના પળેપળના અપડેટ માટે કરો ક્લિક...


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube