અહમદનગર: મહારાષ્ટ્રના અહમદનગરની જિલ્લા હોસ્પિટલમાં ભીષણ આગ ફાટ નીકળી છે. જેમાં 10 દર્દીઓના મોત નિપજ્યા છે. આગ હોસ્પિટલના ICU માં લાગી છે. જેમાં 17 દર્દીઓ દાખલ હતા. અનેક દર્દીઓની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. 


અહમદનગરના ડીએમ રાજેન્દ્ર ભોસલેએ કહ્યું કે સિવિલ હોસ્પિટલમાં આગ લાગી છે. 10 લોકોના મોત થયા છે. આઈસીયુ વોર્ડમાં 17 દર્દી દાખલ હતા. પોસ્ટમોર્ટમ બાદ જાણવા મળશે કે તેમનું મોત શ્વાસ રૂંધાઈ જવાથી થયું કે નહીં. આગ લાગવાના કારણો અંગે તપાસ થઈ રહી છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube