મુંબઈ: મહારાષ્ટ્રમાં રત્નાગિરી જિલ્લામાં ચિપ્લુન તહેસીલમાં તિવરે નામનો ડેમ તૂટવા પાછળ રાજ્યના મંત્રીએ એક વિચિત્ર નિવેદન આપ્યું છે. મહારાષ્ટ્રના જળ સંરક્ષણ મંત્રી તાનાજી સાવંતને જ્યારે સવાલ પૂછાયો કે ખરાબ બાંધકામના કારણે તિવરે ડેમ તૂટ્યો તો તેમણે કહ્યું કે આ બંધ 2004માં કામ કરતો થયો. 15 વર્ષથી આ બંધમાં પાણીનો સંગ્રહ થઈ રહ્યો હતો. ત્યારે કઈં થયું નહીં. 2 વર્ષમાં એક સમયે આ બંધ ક્યારેય ખાલી રહ્યો હોય એવું પણ નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોદી સરકાર 2.0: નાણાં મંત્રી નિર્મલા સીતારમણ આજે રજુ કરશે પોતાનું પ્રથમ બજેટ


તેમણે કહ્યું કે ગ્રામીણોના કહેવા પર અધિકારીઓએ તરત જ તેનું સમારકામ કર્યું હતું. કરચલાઓના કારણે ડેમમાં લિકેજ આવ્યું. અહીં મોટા પાયે કરચલા છે. આ તિવરે બંધને લઈને એસઆઈટી બનાવવામાં આવી છે. તેમની વિશેષજ્ઞોની ટીમ આવશે જ. પરંતુ મેં અહીંના સ્થાનિકો સાથે, ખેડૂતો સાથે વાત કરી છે અને તેમણે કહ્યું કે અહીં ક્યારેય આટલો વરસાદ પડ્યો નથી. જ્યારે રિપોર્ટ આવશે ત્યારે જાણવા મળશે. પરંતુ અહીં 192 મિલીમીટર વરસાદ 8 કલાકમાં પડ્યો છે. 8 કલાકમાં પાણીનું લેવલ વધ્યું છે. વાદળ ફાટવાની વાત પણ કહેવાઈ રહી છે. તો આ બધા પહેલુઓ ઉપર વિચાર કરાશે. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...