Maharashtra News: મહારાષ્ટ્રના રાજકારણમાં હાલ અઝાન,લાઉડસ્પીકર અને હનુમાન ચાલીસા મુદ્દે ભારે હંગામો ચાલી રહ્યો છે. અમરાવતીથી અપક્ષ સાંસદ નવનીત રાણા આજે લીલાવતી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈ ગયા. હોસ્પિટલમાંથી બહાર આવતા જ તેમણે કહ્યું કે હનુમાન ચાલીસા વાંચવા માટે હું 14 દિવસ તો શું 14 વર્ષ જેલમાં રહેવા તૈયાર છું. હોસ્પિટલમાંથી તેઓ જ્યારે બહાર આવ્યા ત્યારે તેમના હાથમાં હનુમાન ચાલીસા જોવા મળી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સીએમ ઉદ્ધવ ઠાકરેને પડકાર્યા
હોસ્પિટલમાંથી બહાર આવતાની સાથે જ નવનીત રાણાએ રાજ્યના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને પડકાર ફેંક્યો અને કહ્યું કે 'તેઓ મહારાષ્ટ્રની કોઈ પણ બેઠક પરથી મારી સામે ચૂંટણી લડીને બતાવે.' આ સાથે તેમણે એમ પણ કહ્યું કે આવનારી સ્થાનિક ચૂંટણીમાં તેઓ પૂરેપૂરી તાકાતથી જનતા વચ્ચે જશે. સરકાર સામે આક્રમક વલણ અપનાવતા કહ્યું કે કોર્ટના આદેશનું સન્માન કરીશ પરંતુ સરકારે મારા પર જે અત્યાચાર કર્યા છે તેના વિરુદ્ધ અવાજ ઉઠાવીશ. મહારાષ્ટ્રની જનતા ઉદ્ધવ ઠાકરેને જણાવશે કે હનુમાન ચાલીસા અને રામનું નામ લેનારા લોકોને પરેશાન કરવાનું પરિણામ શું આવે છે. 


Madhya Pradesh: ઈન્દૌરમાં માથાભારે પ્રેમીના કારણે સર્જાયો હતો આગકાંડ! જેણે 7 લોકોના જીવ લીધા


આ તો ગજબ! બે બોટલ દારૂ ગટકાવ્યો પણ નશો ચડ્યો જ નહીં, ગૃહમંત્રીને કરી ફરિયાદ


Chardham Yatra 2022: વૈદિક મંત્રોચ્ચાર સાથે બદ્રીનાથ ધામના કપાટ ખુલ્યા, ખાસ જુઓ Video


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube