Maharashtra Political Crisis Live Updates: મહારાષ્ટ્રમાં કદાવર નેતા એકનાથ શિંદેએ બળવો પોકારતા રાજકીય ભૂકંપ આવી ગયો છે. શિવસેનાના આ બળવાખોર ધારાસભ્ય પોતાના સમર્થક વિધાયકોને લઈને હવે ગુજરાતના સુરતથી અસમના ગુવાહાટી પહોંચી ગયા છે. બળવાખોર ધારાસભ્યોનું નેતૃત્વ કરી રહેલા એકનાથ શિંદેએ કહ્યું કે તેઓ શિવસેના છોડવાના નથી. બીજીબાજુ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આજે કેબિનેટ બેઠક બોલાવી. સીએમ ઉદ્ધવ ઠાકરે પોતે કોરોના પોઝિટિવ હોવાના કારણે વીડિયો કોન્ફરન્સિંગથી બેઠકમાં જોડાયા હતા. અત્રે જણાવવાનું કે એકનાથ શિંદે મહારાષ્ટ્ર  સરકારમાં મંત્રી પણ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શિવસેનાના અલ્ટીમેટમ પર એકનાથ શિંદેએ આપ્યો જવાબ
શિવસેનાના નેતા એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરેના વ્હિપને ગેરકાયદેસર ગણાવ્યું છે. તેમણે પાર્ટી ઉપર પણ દાવો ઠોક્યો. શિવસેનાના અલ્ટીમેટમ પર એકનાથ શિંદેએ ટ્વીટ કરીને કહ્યું કે ભરત ગોગવલને શિવસેના વિધાયક દળના ચીફ વ્હિપ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આથી વિધાયક દળની બેઠક અંગે સુનિલ પ્રભુ દ્વારા જે આદેશ બહાર પાડવામાં આવ્યો તે ગેરકાયદેસર છે. 


Maharashtra Political Crisis: એકનાથ શિંદે 40 MLA સાથે સુરતથી ગુવાહાટી પહોંચ્યા, એરપોર્ટ પર BJP સાંસદે મોરચો સંભાળ્યો


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube