Maharashtra Political Crisis: મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો વચ્ચે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે રાજીનામું આપી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ઉદ્ધવ ઠાકરે આજે (બુધવાર) સાંજ સુધીમાં પદ પરથી રાજીનામું આપી શકે છે. આ પહેલા શિવસેનાના સાંસદ સંજય રાઉતનું ટ્વીટ પણ સામે આવ્યું હતું, જે બાદ એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી પદ છોડી દેશે.


ઉદ્ધવ ઠાકરેને કોરોના, વર્ચ્યુઅલ બેઠક શરૂ
મહારાષ્ટ્રમાં ઘટનાક્રમ હવે ઝડપથી બદલાઈ રહ્યો છે. રાજ્યપાલ કોશિયારી બાદ સીએમ ઉદ્ધવ ઠાકરેને પણ કોરોના થઈ ગયો છે. હવે વર્ચ્યુઅલ રીતે કેબિનેટની બેઠક યોજાઈ રહી છે. અગાઉ કોંગ્રેસે પોતાના ધારાસભ્યો સાથે બેઠક કરી હતી.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube