નવી દિલ્હી: મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં ભૂસ્ખલન થયા બાદ કાટમાળમાં દબાઈ જવાથી 35 લોકોના મોત થયા છે. મહાડ વિસ્તારમાં અલગ અલગ ત્રણ જગ્યાએ ભૂસ્ખલન થયું છે. પહાડ ધસી પડવાથી જે કાટમાળ પડ્યો તેમાં અનેક લોકો દટાયા. હવે રેસ્ક્યૂ કરીને લોકોને  બહાર કાઢવામાં આવી રહ્યા છે. 


જો કે શુક્રવારે બપોર સુધી 35 મૃતદેહો મળી આવ્યા છે. જ્યારે હજુ પણ 30થી 35 લોકો ફસાયેલા હોવાની આશંકા છે. મળતી માહિતી મુજબ અત્યાર સુધીમાં કુલ 15 લોકોને રેસ્ક્યૂ કરાયા છે. જ્યારે એનડીઆરએફની ટીમ ઘટના સ્થળે રેસ્ક્યૂ ઓપરેશન કરી રહી છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube