મુંબઈ: ભારતીય જનતા પાર્ટી(BJP) અને શિવસેના ગઠબંધનમાં તણાવ વચ્ચે એવી ચર્ચા હતી કે શું ભાજપના નેતા અને પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસ શિવસેનાના દિવંગત નેતા બાળાસાહેબ ઠાકરેની પુણ્યતિથિ પર તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે જશે? પરંતુ ફડણવીસે અન્ય ભાજપના નેતાઓની જેમ જ શિવાજી પાર્ક જઈને બાળાસાહેબને શ્રદ્ધાસુમન અર્પણ કર્યાં. જો કે આ દરમિયાન ત્યાં હાજર શિવસૈનિકોએ નારેબાજી કરીને અસહજ સ્થિતિ પેદા કરી દીધી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અયોધ્યા: સુપ્રીમના ચુકાદા સામે પુર્નવિચાર અરજી, AIMPLBએ કહ્યું-'ગુંબજ નીચે જન્મસ્થળના પુરાવા નથી'


પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસ શ્રદ્ધાંજલિ આપીને જ્યારે શિવાજી પાર્કથી પાછા ફરી રહ્યાં હતાં ત્યારે મોટી સંખ્યામાં હાજર શિવસેનાના કાર્યકરોએ સરકાર કોની...? શિવસેનાની...શિવસેના... જેવા નારા લગાવવાના શરૂ કરી દીધા. જો કે ત્યાં હાજર પોલીસફોર્સે સ્થિતિની ગંભીરતા જોતા પૂર્વ મુખ્યમંત્રીને અફડાતફડીમાં કારમાં રવાના કરી દીધા. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube