મુંબઈ: મહારાષ્ટ્ર (Maharashtra) સરકારમાં કેબિનેટ મંત્રી છગન ભુજબળ (Chagan Bhujbal) ના કોરોના પોઝિટિવ આવ્યા બાદ તેમના કાર્યાલયમાં કામ કરનારા 5 લોકો કોરોના પોઝિટિવ થયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહારાષ્ટ્ર સરકારના અનેક મંત્રી કોરોના સંક્રમિત
અત્યાર સુધીમાં મહારાષ્ટ્ર સરકારના અનેક મંત્રી કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે. જેમાં છગન ભુજબળ, જયંત પાટીલ, રાજેશ ટોપે, રાજેન્દ્ર સિંગડેના નામ સામેલ છે. જેમના કોરોના ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. 


રાજ્ય સરકારમાં કેબિનેટ મંત્રી બચ્ચૂ કડુ બીજીવાર કોરોના વાયરસ સંક્રમિત થયા છે. તેઓ 6 મહિના પહેલા પણ કોરોના સંક્રમિત થયા હતા. અનિલ દેશમુખ પણ કોરોના સંક્રમિત છે, પરંતુ તેઓ ઠીક થયા હોવાનું કહેવાય છે. પૂર્વ ભાજપ નેતા એકનાથ ખડસે ત્રણવાર કોરોના પોઝિટિવ થઈ ચૂક્યા છે. 


Shabnam Saleem Story: પ્રેમીને પામવા માતા-પિતા સહિત 7 લોકોની ઘાતકી હત્યા, માસૂમ બાળકને પણ ન છોડ્યો


મહારાષ્ટ્રમાં આ શહેરોમાં લોકડાઉન
મહારાષ્ટ્ર (Maharashtra) માં અનેક શહેરોમાં કોરોના વાયરસ (Corona Virus) ના કેસોમાં આવેલા ઉછાળા બાદ યવતમાલ, અમરાવતી, અને અચલપુરમાં લોકડાઉનની જાહેરાત થઈ છે. અમરાવતી અને અચલપુરમાં સંપૂર્ણ લોકડાઉન લાગ્યું છે. જે 1 માર્ચ સવારે 8 વાગ્યા સુધી લાગુ રહેશે. યવતમાલ, અકોલા અને અકોટમાં 1 માર્ચ સવાર 6 વાગ્યા સુધી સંપૂર્ણ લોકડાઉન રહેશે. જો કે આ જિલ્લાઓમાં ઈમરજન્સી સેવાઓ ચાલુ રહેશે. પુના અને નાસિકમાં રાતે 11 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી નાઈટ કરફ્યૂ લગાવવામાં આવ્યો છે. પુનામાં 28 ફેબ્રુઆરી સુધી શાળા કોલેજો બંધ રખાઈ છે. આ ઉપરાંત નાગપુરમાં શાળા કોલેજ અને ટ્યૂશન સેન્ટર 7 માર્ચ સુધી બંધ કરાયા છે. માર્કેટ ફક્ત શનિવાર અને રવિવારે ખુલશે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube