પટણા : બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમારે બિહારના દરભંગા ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં સંબોધન કરતી વખતે એનઆરસી અને એનપીઆર વિશે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે બિહારમાં એનસીઆર લાગુ નહીં કરવામાં આવે. એનપીઆર પર નિવેદન આપતી વખતે નીતિશ કુમારે કહ્યું છે કે  નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર પણ 2010ની જેમ જ કરવામાં આવશે. નીતિશ કુમારે દરભંગાની મૌલાના આઝાદ યુનિવર્સિટીમાં આ વાત કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

PM મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પની મુલાકાત બાદ થઇ શકે છે આ 5 મહત્વપૂર્ણ કરાર


સીએમ નીતિશ કુમારે આ પહેલાં પણ નિવેદન આપ્યું છે કે બિહારમાં એનઆરસીની જરૂર નથી જેના કારણે બિહારમાં એ લાગુ નહીં કરવામાં આવે. જોકે એનપીઆર વિશે નીતિશ કુમારે પહેલીવાર એવું નિવેદન આપ્યું છે જે બીજેપી કરતા અલગ છે. આમ, વડાપ્રધાન મોદી અમેરિકન પ્રેસિડન્ટ ટ્રમ્પને આવકારવામાં વ્યસ્ત છે ત્યારે એક નવો વિરોધી મોરચો ખુલી રહ્યો છે. 


ઓક્સિજન સિલિન્ડર પહેરીને પરીક્ષા, સલામ કરો બરેલીની આ વિદ્યાર્થીનીની આત્મશક્તિને


નીતિશ કુમારે પોતાના સંબોધનમાં મૌલાના અબુલ કલામ આઝાદની સરખામણી મહાત્મા ગાંધી સાથે કરી છે. તેમણે કહ્યું છે કે જે રીતે બાપુને લોકો યાદ રાખતા હતા એ રીતે જ મૌલાના આઝાદને પણ યાદ રાખવા પડશે કારણ કે તેઓ પણ દેશના વિભાજનની વિરૂદ્ધ હતા. નીતિશ કુમારના આ નિવેદનથી એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે તેઓ ચૂંટણી માટે લઘુમતીઓને સાધવા ઇચ્છે છે અને આ કારણે જ તેમના માટે અનેક યોજનાઓની જાહેરાત પણ કરવામાં આવી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...