નવી દિલ્હીઃ Manipur Terror Attack: મણિપુરમાં શનિવારે ઘાત લગાવીને કરવામાં આવેલા હુમલામાં આસામ રાઇફલ્સની એક બટાલિયનના કમાન્ડિંગ ઓફિસર (CO) સહિત પાંચ જવાનો શહીદ થયા છે. આ હુમલામાં કમાન્ડિંગ ઓફિસર કર્નલ વિપ્લવ ત્રિપાઠીના પત્ની અને પુત્રનું પણ મોત થયું છે. રક્ષા મંત્રા રાજનાથ સિંહે દુખ વ્યક્ત કરતા હુમલાની નિંદા કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજનાથ સિંહે ટ્વીટ કર્યુ, 'મણિપુરના ચુરાચાંદપુરમાં આસામ રાઇફલ્સના કાફલા પર કાયરતાપૂર્ણ હુમલો ખુદ દર્દનાક અને નિંદનીય છે. દેશના સીઓ 46 એઆર સહિત પાંચ બહાદુર જવાનો અને પરિવારના બે સભ્યોને ગુમાવી દીધા છે. શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે મારી સંવેદનાઓ છે. જલદી દોષિતો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.'


આઝમગઢમાં અખિલેશ પર અમિત શાહનો હુમલો, જનતાને સમજાવ્યો JAM નો અર્થ  


મુખ્યમંત્રી એન બીરેન સિંહે ટ્વીટ કર્યુ, '46 એઆરના કાફલા પર આજે થયેલા કાયરતાપૂર્ણ હુમલાની નિંદા કરુ છું, જેમાં સીઓ અને તેમના પરિવાર સહિત કેટલાક જવાનોના મોત થયા છે. રાજ્ય દળ અને અર્ધસૈનિક ઉગ્રવાદીઓને પકડવા માટે પ્રયાસ કરી રહ્યા છે. અપરાધિઓને સજા આપવામાં આવશે.'


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube