નવી દિલ્હી: કોંગ્રેસ નેતા મનિષ તિવારીએ પોતાના પુસ્તકમાં મુંબઈ હુમલા બાદ કોઈ કાર્યવાહી ન કરવા બદલ તત્કાલિન મનમોહન સરકારની આકરી ટીકા કરી છે. પોતાના પુસ્તકમાં મનિષ તિવારીએ લખ્યું કે મુંબઈ હુમલા બાદ ભારતે જડબાતોડ જવાબ આપવો જોઈતો હતો અને ડોકલામ વિવાદ ટાળી શકાય તેમ હતું. તેમણે એમ પણ લખ્યું કે કાર્યવાહી ન કરવી એ નબળાઈની નિશાની છે. તેમણે લખ્યું કે 26/11 હુમલા બાદ કડક કાર્યવાહી જરૂરી હતી. શબ્દો કરતા વધુ કડક કાર્યવાહી જરૂરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મનિષ તિવારીની ટ્વીટ
મનિષ તિવારીએ ટ્વીટ કરીને કહ્યું કે 'એ જાહેરાત કરતા ખુશી થઈ રહી છે કે મારું ચોથું પુસ્તક જલદી બજારમાં આવશે. 10 ફ્લેશ પોઈન્ટ, 20 વર્ષ- રાષ્ટ્રીય સુરક્ષાની સ્થિતિઓ જેણે ભારતને પ્રભાવિત કર્યું. આ પુસ્તક ગત બે દાયકામાં ભારત સામે આવેલા મોટા રાષ્ટ્રીય સુરક્ષા પડકારો પર છે.'


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube