નવી દિલ્હી : કર્ણાટક વિધાનસભા ચૂંટણી 2018 પહેલાં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે બેંગ્લુરુમાં વર્તમાન સરકાર પર એટેક કર્યો છે અને મુખ્ય મુદ્દો રહ્યો મોદી સરકારના આર્થિક નિર્ણયો. મનમોહન સિંહે કહ્યું છે કે ''દેશના કોઈપણ વડા્પ્રધાનને આ પદનો ઉપયોગ વિરોધીઓ માટે એવી વાતો કરવા માટે નથી કર્યો જેવી રીતે મોદીજી દિવસ-રાત કરી રહ્યા છે. એક વડાપ્રધાન માટે આટલા નીચા સ્તરે જવું સારું નથી અને દેશ માટે યોગ્ય નથી.''


બોલિવૂડની આ જોડી બહુ જલ્દી કરવાની છે લગ્ન?


નીરવ મોદી મામલે મોદી સરકારને ઘેરતા પૂર્વ વડાપ્રધાને કહ્યું છે કે ''જ્યાં સુધી નીરવ મોદીનો સવાલ છે ત્યાં સુધી 2015-16માં નીરવ મોદીના કામકાજમાં ગડબડ હોવાના પુરાવા મળ્યા હતા પણ આમ છતાં સરકારે કોઈ પગલાં ન લીધા. આ મામલે જો કોઈને દોષ દેવો હોય તો વર્તમાન સરકારને જ દેવો જોઈએ. હકીકત એ છે કે પીએમ દાવોસમાં નીરવ મોદી સાથે હતા અને પછી જ એ દેશ છોડીને ભાગી ગયો હતો.''