નવી દિલ્હી : કેન્દ્રીય શિપિંગ મંત્રી મનસુખ માંડવીયાએ શુક્રવારે ભુતાનથી બાંગ્લાદેશ માટે એક માલવાહક જહાજને લીલી ઝંડી દેખાડી હતી. આ માહિતી એક અધિકારીક નિવેદનમાં આપવામાં આવી છે. બ્રહ્મપુત્ર નદી જળ માર્ગ (રાષ્ટ્રીય જળમાર્ગ -2) દ્વારા આ સેવા આવન જાવન માર્ગનાં વિષયમાં ભારત - બાંગ્લાદેશ સમજુતી અનુસાર ચાલુ કરવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિશ્વાસમતની માંગ અંગે સિદ્ધરમૈયાએ કહ્યું, અમારી પાસે બહુમતી, ભાજપ ગભરાયું
ભારતના શિપિંગ મંત્રાલયની જાહેરાત અનુસાર આ અગાઉ જહાજમાં ભુટાનનો માલ નદી માર્ગથી બાંગ્લાદેશ પહોંચશે. આ પ્રકારની આવી પ્રથમ સેવા છે જેમાં એક ભારતીય જળમાર્ગનો ઉપયોગ કરીને પહાડી દેશ ભુતાન અને બાંગ્લાદેશ વચ્ચે માલનું પરિવહન કરવામાં આવશે. પહેલી ખેપમાં ભુટાનથી એક હજાર ટન પથ્થર અસમનાં ઘુબરી ઘાટથી બાંગ્લાદેશનાં નારાયણગંજ બંદર પર પહોંચાડવામાં આવશે.


રદ્દ ટિકિટોમાંથી પણ ભારતીય રેલ્વેએ કરી 1536 કરોડ રૂપિયાની કમાણી !
ભારત ફોરવર્ડ બેઝ પરથી હટાવે ફાઇટર પ્લેન, પછી અમે એરસ્પેસ ખોલીશું: પાકિસ્તાન
આ માલ ભુટાનમાં કુએત્શોલિંગથી ટ્રકો દ્વારા 160 કિલોમીટર દુર ઘુબરીથી પહોંચાડીને જહાજ  પર લાગવામાં આવ્યા છે. જળમાર્ગ દ્વારા પરિવહન સસ્તુ અને પર્યાવરણને અનુકુળ બનશે. આ ઉપરાંત એકસાથે ઘણા મોટા પ્રમાણમાં માલ પહોંચશે. જેના કારણે રોડપરના ટ્રાફીકનું ભારણ પણ ઘટશે.