નવી દિલ્હીઃ દર વર્ષની જેમ દેશ હોળીના રંગમાં રંગાવા માટે તૈયાર છે. તો બીજીતરફ કોરોના વાયરસને લઈને લોકોમાં ડરનો માહોલ છે. છેલ્લા બે દિવસમાં કોરોના વાયરસ ભારતમાં ઝડપથી ફેલાયો છે. કોરોના વાયરસથી બચવા માટે સાવધાની ખુબ જરૂરી છે. આ પહેલમાં રાષ્ટ્રપતિ ભવનમાં હોળીનું આયોજન કરવામાં આવશે નહીં. તો પીએમ મોદીએ પણ હોળીના સામૂહિક સમારહોમાં ભાગ ન લેવાની જાહેરાત કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતમાં વધતા કોરોના વાયરસના મામલાને લઈને રાષ્ટ્રપતિ ભવન આ વખતે હોળીનો તહેવાર ઉજવશે નહીં. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું કે, સાવધાની અને સુરક્ષાના ઉપાયોની સાથે આપણે બધા કોરોના વાયરસ  ( COVID-19)ના પ્રકોપને રોકવામાં મદદ કરી શકીએ. સાવચેતીના ભાગ રૂપે રાષ્ટ્રપતિ ભવન આ વખતે પરંપરાગત હોળી સમારોહનું આયોજન કરશે નહીં. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક..