મહારાષ્ટ્રમાં મરાઠા અનામત માટે થઈ રહેલા આંદોલનનો આખરે અંત આવ્યો છે. શિંદે સરકારે કાર્યકર મનોજ જરાંગેની માંગણીઓ સ્વીકારી લીધી છે. આ વાત ખુદ જરાંગેએ કહી છે. મનોજ જરાંગેએ કહ્યું કે મુખ્યમંત્રી એકનાથ શિંદેએ સારું કામ કર્યું છે. અમારો વિરોધ હવે પૂરો થયો. અમારી ભલામણ સ્વીકારી લેવાઈ છે. અમે સરકારના પત્રનો સ્વીકાર કરીશું. હું શનિવારે એટલે કે આજે મુખ્યમંત્રીના હાથે જ્યૂસ પી લઈશ. 


અત્રે જણાવવાનું કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ શુક્રવારે રાતે મરાઠા અનામતને લઈને આંદોલન કરી રહેલા કાર્યકર મનોજ જરાંગે પાસે તેમની વિવિધ માંગણીઓ સંદર્ભે એક ડ્રાફ્ટ તૈયાર કરીને મોકલ્યો હતો. મુખ્યમંત્રી કાર્યાલયના એક નિવેદનમાં કહેવાયું હતું કે શિંદેએ માંગણીઓ પર ચર્ચા કરવા માટે અધિકારીઓ સાથે બેઠક કરી અને બાદમાં કાર્યકરોને મળવા માટે એક પ્રતિનિધિમંડળ ડ્રાફ્ટ અધ્યાદેશ સાથે મોકલ્યું. જરાંગે હજારો સમર્થકો સાથે નવી મુંબઈમાં ડેરો જમાવીને બેઠા હતા. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube