ઝી બ્યુરો/નવી દિલ્હી: મહારાષ્ટ્રના પુણેમાં એક દુ:ખદ ઘટના સામે આવી છે. અહીં લવ અફેયરના કારણે એક પરિણીત મહિલાએ તેના પ્રેમી સાથે મળીને તેના પતિની હત્યા કરી નાખી. આરોપીઓએ આ સમગ્ર ઘટનાને ચોરી અને હત્યાનું રૂપ આપવાની કોશિશ કરી. પોલીસે આ મામલાની ગંભીરતાથી તપાસ કરી તો સમગ્ર મામલો સામે આવ્યો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમિતાભ બચ્ચનના પગ પકડી રડવા લાગી હતી કરીના કપૂર, બચ્ચને ખોળામાં બેસાડી કરી હતી શાંત


મળતી માહિતી અનુસાર, આ ઘટના કર્વેનગરમાં સ્થિત શ્રીમાન સોસાયટીની છે. અહીં રહેનાર 42 વર્ષીય રાહુલ પંઢરીનાથ નિવગુણેની તેમનો જ ઘરમાં ઘૂસીને કરપીણ હત્યા કરી નાંખવામાં આવી.


111 વર્ષ બાદ રહસ્યમયી કેતુ-સૂર્યનો દુર્લભ સંયોગ, આ રાશિવાળા પર ધનના દેવતાની કૃપા થશે


વરજે પોલીસના જણાવ્યા અનુસાર, રાત્રે લગભગ 1 વાગે કોઈ અજાણ્યા વ્યક્તિએ રાહુલના ઘરનો દરવાજો ખખડાવ્યો હતો. જ્યારે રાહુલે દરવાજો ખોલ્યો તો આરોપીઓએ તેના પર તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરીને તેની હત્યા કરી નાખી. મૃતક રાહુલ ગાડી ચલાવતો હતો. આરોપીએ પોતાનો ચહેરો ઢાંક્યો હતો. આ દરમિયાન રાહુલની ચીસોનો અવાજ સાંભળીને ઘરમાં હાજર તેની ત્રણ પુત્રીઓ અને પત્ની જાગી ગયા હતા. તેના પહેલા આરોપી ઘરેથી દાગીના, રોકડ અને કિંમતી સામાન લઈને ભાગી ગયો હતો.


Tirupati Balaji: તિરુપતિ બાલાજી મંદિરમાં વાળ દાન કરવાનું શું છે મહત્વ? જાણો


ઘટનાની જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન પોલીસને શરૂઆતમાં લાગ્યું કે આ ચોરી અને હત્યાનો મામલો છે, પરંતુ જેમ જેમ તપાસ આગળ વધી તેમ તેમ આખી વાત સામે આવી. 


PM સૂર્ય ઘર મફત વીજળી યોજના: સબસિડી માટે કેવી રીતે કરશો અરજી, ખાસ જાણો


પોલીસનું કહેવું છે કે આ અનૈતિક સંબંધોનો મામલો છે. રાહુલની પત્ની અને આરોપી વચ્ચે અફેર ચાલી રહ્યું હતું. જેના કારણે રાહુલની પત્નીએ તેના પ્રેમી સાથે મળીને તેના પતિની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. બનાવ ચોરી અને હત્યા જેવો બને તે માટે સંપૂર્ણ આયોજન કરવામાં આવ્યું હતું.