શ્રીનગર : પેશાવરમા જૈશનો આતંકી વડો મૌલાના મસૂદ અઝહર ખુલ્લેઆમ રેલીઓ કરી રહ્યો છે. આ રેલી માટે કાયદેસર રીતે પાકિસ્તાની સેના અને પોલીસ તરફથી તેને સુરક્ષા આપવામાં આવી રહી છે. પોતાની રેલીઓમાં મૌલાના મસૂદ અઝહર ભારતની વિરુદ્ધ સતત આગ ઓકી રહ્યો છે અને કાશ્મીરમાં આતંકી ગતિવિધીઓ વધારવા માટે લોકોને ભડકાવી રહ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કાશ્મીર નહિ, દિલ્હીને નિશાન બનાવવા માંગે છે જૈશ
5 ફેબ્રુઆરીના રોજ પેશાવરમાં જૈશની રેલીમાં ખરાબ તબિયતથી પરેશઆન મૌલાના મસૂદ અઝહરે તાજેતરમાં જ રેલીને સંબોધન કર્યું હતુ અને ભારતની વિરુદ્ધ આતંકવાદી ગતિવિધીઓ વધારવા માટે લોકોને અપીલ કરી હતી. પોતાના આ રેલીમાં જૈશે પોતાના કાળા કામને પણ બતાવ્યા હતા. સાથે જ તેણે સ્પષ્ટ કહ્યું હતું કે, તેમનો હેતુ માત્ર કાશ્મીર જ નહિ, પરંતુ દિલ્હીમાં પણ આતંકી હુમલો કરવાનો છે. 


પુલવામા હુમલાની કરી હતી જાહેરાત
રેલીને સંબોધિત કરતા મૌલાના મસૂદ અઝહરે કહ્યું કે, હાલ તો અમારા નિવેદનો કોઈ મીડિયા નથી બતાવી રહ્યું. હાલ તો હિન્દુસ્તાનના કાન પર જૂ પણ સરકતી નથી, પરંતુ કાલે હિન્દુસ્તાનના બધા અખબાર ઉઠાવીને વાંચી લેજો. સમગ્ર હિન્દુસ્તાનના મીડિયા પર પ્રાઈમ ટાઈમમાં જો સૌથી પહેલા ખબર લાગશે તે જૈશ-એ-મોહંમદની હશે. 


ઉલ્લેખનીય છે કે, જૈશે પહેલા સીઆરપીએફ પર હુમલાનો પ્લાન 6 ફેબ્રુઆરીના રોજ કર્યો હતો, પણ ભારે બરફવર્ષાને કારણે કોન્વોય કેન્સલ થયું હતુ. જૈશ હેડએ આગળ કહ્યું હતું કે, હિન્દુસ્તાનની મીડિયા કોઈ પણ સમાચાર પર બૂમો પાડતું રહેશે. મૌલાના મસૂદ અઝહરે એલાન કરી દીધું કે, અમે કાશ્મીરવાળાઓની સાથે છીએ. 10 ફેબ્રુઆરીના રોજ શ્રીનગરમાં થયેલા ગ્રેનેડ હુમલા વિશે મસૂદ અઝહરે પોતાની પેશાવર રેલીમાં કહ્યું હતું. મૌલાનાએ કહ્યું કે, જૈશવાળાઓએ શ્રીનગરથી કુપવાડા સુધી ગ્રેનેડ મારીને જાહેર કર્યું કે, અમે કાશ્મીરીઓની સાથે છીએ. ક્યાંક હિન્દુસ્તાનવાસીઓ પર ગોળીઓ વરસાવીને જાહેર કર્યું કે, અમે કાશ્મીરવાળાઓની સાથે છીએ. કાલે તેમની લાશને તડપાવીને જાહેર કરવામાં આવશે કે, અમે કાશ્મીરવાળાઓની સાથે છીએ.