નવી દિલ્હી: ઓલ ઇન્ડીયા કાઉંસિલ ફોર ટેક્નિકલ એજ્યુકેશન (AICTE) એ એંજીનિયરિંગ (Engineering) કરનાર વિદ્યાર્થીઓ માટે મોટી જાહેરાત કરી છે. તેના અનુસાર હવે 12મા ધોરણમાં મેથ્સ (Maths) અને ફીજિક્સ (Physics) નો અભ્યાસ કર્યા વિના વિદ્યાર્થીઓ B.Tech માં એડમિશન લઇ શકશે. આ વ્યવસ્થા નવા એકેડમિક ઇયર (2021-22) થી શરૂ થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વર્ષથી લાગૂ થશે આ નિયમ
નવા નિયમ અનુસાર B.Tech માં એડમિશન માટે વિદ્યાર્થીઓને 12માં ઓછામાં 45 ટકા માર્ક્સની જરૂર પડશે. આ સાથે જ 14 વિષયની યાદીમાં ગમે તે 3 વિષયમાં પાસ હોવું જરૂરી રહેશે. 14 વિષયમાં મેથ્સ, ફીજિક્સ, કેમિસ્ટ્રી, કોમ્યુટર સાયન્સ, ઇલેક્ટ્રોનિક્સ, આઇટી, બાયોલોજી, ઇનફોર્મેટિક્સ પ્રેક્ટિસ, બાયોટેક્નોલોજી, ટેક્નિકલ બિઝનેસ વિષય, એંજીનિયરિંગ ગ્રાફિક્સ, બિઝનેસ સ્ટડીઝ, આંત્રપ્રેન્યોરશિપ સામેલ છે. આ વિષયોમાંથી કોઇ ત્રણ વિષયમાં 45 ટકા નંબર લાવવા પડશે. આ સાથે જ રિઝર્વ કેટેગરીના વિદ્યાર્થીઓને ઓછામાં ઓછા 40 નંબર લાવવા પડશે.  

India vs England: અમદાવાદમાં થોડીવારમાં શરૂ થશે T20, આ 5 ખેલાડી ભારતને જીતાડી શકે છે મેચ


કોમર્સના વિદ્યાર્થી પણ લઇ શકશે એડમિશન
AICTE એ યૂનિવર્સિટીઝને કહ્યું કે અલગ-અલગ બેકગ્રાઉન્ડથી આવનાર વિદ્યાર્થીઓને મેથ્સ, ફીજિક્સ, એંજીનિયરિંગ ડ્રોઇગનો બ્રિજ કોર્સ કરાવવામાં આવે. જેથી તે બીઇ, બીટેક પ્રોગ્રામની જરૂરિયાત અનુસાર યોગ્યતા પ્રાપ્ત કરી શકે. આ ઉપરાંત એંજીનિયરિંગમાં 3 વર્શનો ડિપ્લોમા કરનારને પણ B.Tech માં લેટરલ એન્ટ્રી એડમિશન મળી શકે. એવામાં જો લેટરલ વેકેન્સી પુરી થઇ જશે, તો ફર્સ્ટ ઇયરમાં ખાલી સીટોના આધારે એડમિશન મળી શકશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube