Shri Krishna Janmabhoomi-Shahi Idgah Masjid dispute: ભગવાન શ્રીકૃષ્ણના જન્મસ્થળ એવા મથુરાના શ્રીકૃષ્ણ જન્મભૂમિ-શાહી ઈદગાહ વિવાદ પર મથુરા ડિસ્ટ્રિક્ટ કોર્ટે મોટો નિર્ણય લીધો છે. કોર્ટે ટાઈટલ સૂટ પર મંજૂરી આપી છે. શ્રીકૃષ્ણ જન્મભૂમિ જમીન વિવાદ પર કરાયેલી અરજી સુનાવણી માટે સ્વીકારી લેવાઈ છે. હવે નીચલી કોર્ટમાં આ કેસની સુનાવણી હાથ ધરાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સિવિલ કોર્ટે પહેલા અરજી ફગાવી હતી પરંતુ હિન્દુ પક્ષે મથુરા કોર્ટમાં નવેસરથી અરજી દાખલ કરી. હવે મથુરા કોર્ટે અરજી સ્વીકારી લેતા કહ્યું કે આ મામલે લોઅર કોર્ટ તેના પર સુનાવણી કરે. હવે નીચલી કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે. બંને પક્ષે દલીલો થશે અને ત્યારબાદ ચુકાદો આપવામાં આવશે. આ અરજીમાં 1968ના જીમીન કરારને રદ કરવાની માંગણી પણ કરાઈ છે. મથુરા ડિસ્ટ્રિક્ટર એન્ડ સેશન જજ રાજીવ ભારતીએ અરજીને સુનાવણી માટે મંજૂરી આપી. આ મામલે વકીલ રંજના અગ્નિહોત્રી જે પોતાને કૃષ્ણભક્ત હોવાનો દાવો કરે છે તે સહિત 6 વાદી છે. અરજી 2020માં કરાઈ હતી. જેમાં શાહી ઈદગાહની જમીન પર માલિકી હક વિશે દાવો કરાયો હતો. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube