નવી દિલ્હી: લોકસભામાં સ્પીકરની ચેર પર બિરાજમાન મહિલા સાંસદ રમા દેવી પર આપત્તિજનક ટિપ્પણી કરીને સમાજવાદી પાર્ટીના નેતા અને રામપુરના સાંસદ આઝમ ખાન મુશ્કેલીમાં જોવા મળી રહ્યાં છે. આ મુદ્દે તમામ પક્ષોના મહિલા નેતાઓ એક સૂરમાં આઝમ ખાનને વખોડી રહ્યાં છે. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની, ભાજપના નેતા જયા પ્રદા, સહિત અનેક દિગ્ગજ નેતાઓ દ્વારા આઝમ ખાનના નિવેદનની ટીકા કરાઈ. ટીએમસી સાંસદ મીમી ચક્રવર્તીએ  પણ આઝમ ખાનની ઝાટકણી કાઢી. હવે બસપા સુપ્રીમો માયાવતીએ પણ આઝમ ખાનની આકરા શબ્દોમાં ટીકા કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બહુજન સમાજવાદી પાર્ટીના પ્રમુખ માયાવતીએ આઝમ ખાનની ટિપ્પણીને અશોભનીય ગણાવતા તમામ મહિલાઓની માફી માંગવાનું કહ્યું છે. બસપા ચીફ માયાવતીએ ટ્વીટ કરીને કહ્યું કે યુપીથી સપા સાંસદ આઝમ ખાન દ્વારા ગઈ કાલે લોકસભામાં અધ્યક્ષની ચેર પર બિરાજમાન મહિલા વિરુદ્ધ જે પ્રકારે અશોભનીય ભાષાનો ઉપયોગ કરાયો તે ગરિમા અને સન્માનને ઠેસ પહોંચાડનારા તથા અતિ નિંદનીય છે. આ માટે તેમણે સંસદમાં જ નહીં પરંતુ તમામ મહિલાઓની માફી માંગવી જોઈએ. 


નિર્મલા સીતારમણે ઉઠાવ્યાં સવાલ
કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે લગભગ આખા સદને નિવેદનની નિંદા કરી છે. જે શબ્દો તેમણે કહ્યાં તે અમે દોહરાવવા પણ નહીં માંગીએ. જે કઈ થયું તે આખા દેશે જોયું. હું એ દરેક સદસ્યની આભારી છું જે તેના વિરોધમાં ઊભા રહ્યાં. આ ફક્ત મહિલાનું અપમાન નથી પરંતુ તે મહિલાનું પણ અપમાન છે જે સ્પીકરની ભૂમિકામાં છે. જ્યારે બધાએ તેના વિરોધમાં ઊભા થવાની જરૂર હતી ત્યારે  મહિલાઓ સંલગ્ન એક મુદ્દાનું પણ રાજનીતિકરણ કરવાની કોશિશ કરાઈ. તેના વિરોધ કરવામાં અસમંજસ જેવી સ્થિતિ કેમ?


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...