નવી દિલ્હીઃ કેન્દ્રીય પ્રધાન અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા અનુરાગ ઠાકુર (Anurag Thakur) પોતાના નિવેદનને લઈને વિવાદોમાં આવી ગયા છે. તેમણે સોમવારે દિલ્હીમાં એક ચૂંટણી સભા દરમિયાન મંચ પરથી દેશના ગદ્દારોને ગોળી મારોનો નારા લગાડાવ્યા હતા. ભાજપના સાંસદે કહ્યું કે, ગદ્દારો ને, ગોળી મારો... અનુરાગ ઠાકુરે કહ્યું કે, ગદ્દારોને ભગાડવા માટે નારા પણ જોઈએ. તેમણે દિલ્હી વિધાનસભા ચૂંટણીને ભારતની અસ્મિતાને બચાવવાની ચૂંટણી ગણાવી હતી. તો મંચ પર હાજર વધુ એક પ્રધાને ગિરિરાજ સિંહે કહ્યું કે, કમળનું બટન દબાવવા પર જ ગદ્દાર મરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપના નેતા અનુગાર મંચ પરથી જનતાને કહેતા જોવા મળી રહ્યાં છે, 'દેશા ગદ્દારોને અને જનસભામાં હાજર રહેલા લોકો નારાને આગળ વધારતા કહે છે, 'ગોળી મારો..'' આ દરમિયાન ચૂંટણી પ્રચારના મંચ પર ભાજપના સાંસદ હંસરાજ હંસ સહિત તમામ નેતા હાજર હતા. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...