નવી દિલ્હીઃ Corona New Guidelines: દેશમાં કોરોનાની બીજી લહેર ધીમે-ધીમે ઓછી થઈ રહી છે. એક સમયે દરરોજ ચાર લાખ કેસ સામે આવી રહ્યાં હતા. હવે દરરોજ 30-40 લાખ નવા કેસ સામે આવી રહ્યાં છે. કોરોનાની બીજી લહેર બાદ રાજ્યોએ લૉકડાઉન હટાવી (Lockdown Update) અનલોક (Unlock) શરૂ કરવામાં આવ્યું છે. પરંતુ પ્રતિબંધોમાં સંપૂર્ણ છૂટછાટ મળી નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વચ્ચે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કોવિડ ગાઇડલાઇન્સ (MHA New Covid Guidelines) ને 31 ઓગસ્ટ સુધી વધારી દીધી છે. ગૃહ મંત્રાલયે નવો નિર્દેશ જારી કરતા રાજ્યોને કહ્યું કે, કન્ટેઇન્ટમેન્ટ ઝોનમાં નિયમોનું કડક પાલન કરાવો. 


ફરીથી વધ્યા કોરોનાના કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે બહાર પાડેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 43,654 કેસ નોંધ્યા છે. ગઈ કાલે 29,689 નવા કેસ નોંધાયા હતા. હાલ દેશમાં 3,99,436 લોકો સારવાર હેઠળ છે. દેશમાં એક દિવસમાં 41,678 લોકો રિકવર થયા છે. આ સાથે કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 3,06,63,147 થઈ છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube