મુંબઈ: મહારાષ્ટ્ર નવ નિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરેની અત્રેના ઈડી ઓફિસમાં પૂછપરછ ચાલુ છે. પોલીસે સંભવિત હોબાળાને ધ્યાનમાં રાખીને 200થી વધુ એમએનએસ કાર્યકરોને અટકાયતમાં લીધા છે. આ સાથે જ મરીન ડ્રાઈવ, એમઆરએ માર્ગ, દાદર અને આઝાદ મેદાન પોલીસ સ્ટેશનની હદમાં કલમ 144 લાગુ કરાઈ છે. રાજ ઠાકરેની આ પૂછપરછ કોહિનૂર સીટીએનએલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીમાં આઈએલ એન્ડ એફએસ દ્વારા 450 કરોડ રૂપિયાના ઈક્વિટી રોકાણ અને કરજ સંબંધિત કથિત અનિયમિતતાઓની તપાસ મામલે થઈ રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

INX મીડિયા કેસ: કોંગ્રેસી નેતા પી ચિદમ્બરમની ધરપકડ બાદ PM મોદીનો આ VIDEO થયો વાઈરલ


જેને લઈને ઈડીએ રાજ ઠાકરેને નોટિસ ફટકારી હતી. ઈડીની રાજ ઠાકરેની પૂછપરછથી મહારાષ્ટ્રમાં રાજકારણ ગરમાયું છે. શિવસેનાના ચીફ ઉદ્ધવ ઠાકરે પણ પોતાના પિતરાઈ ભાઈના બચાવમાં ઉતરી આવ્યાં છે. તેમણે કહ્યું કે આ પૂછપરછથી કશું ઉકળવાનું નથી. જાણો શું છે મામલો?...


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...