પટણા: બિહારમાં મોબ લિંચિંગની ઘટનાઓ ઓછી થવાનું નામ લેતી નથી. એક તાજો મામલો પટણાના દીઘા પોલીસ સ્ટેશન હદના ગાંધીનગરનો છે. જ્યાં બે શીખ શ્રદ્ધાળુઓ મોબ લિંચિંગનો ભોગ બન્યાં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાત જાણે એમ હતી કે પંજાબ અને દિલ્હીમાં રહેતા બે શીખ વેપારીઓને બચ્ચા ચોર સમજીને ભીડે મારવાનું શરૂ કરી દીધુ. વિકી સિંહ અને કરનાલના રહીશ તેમના સાથી વેપારી ગુરુદ્વારામાં દર્શન કરવા માટે આવ્યાં હતાં. પરંતુ દીઘા વિસ્તારમાં તેમને સ્થાનિક લોકોએ બચ્ચા ચોર સમજીને માર માર્યો. ઘટનાની જાણકારી જ્યારે દીઘા પોલીસને મળી ત્યારબાદ તેમણે ઘટનાસ્થળે પહોંચીને શીખ વેપારીઓને ભીડમાંથી બહાર કાઢ્યાં અને પટણાના પીએમસીએચ હોસ્પિટલમાં દાખલ કર્યાં. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...