નવી દિલ્હી: કાશ્મીરમાંથી કલમ 370 હટાવાયા બાદ રાજ્યમાં કાયદો વ્યવસ્થા જાળવી રાખવા માટે લગાવવામાં આવેલા પ્રતિબંધોમાં ધીરે ધીરે છૂટ આપવામાં આવી રહી છે. જેનાથી ત્યાનું જનજીવન ધીરે ધીરે સામાન્ય થઈ રહ્યું છે. હાલ જમ્મુના પાંચ જિલ્લા ડોડા, કિશ્તવાડા, રામબન, રાજૌરી અને પૂંછમાં મોબાઈલ સેવા ફરીથી શરૂ કરવામાં આવી છે. અહીં 5 ઓગસ્ટ બાદથી મોબાઈલ ફોન સેવા બંધ કરી દેવામાં આવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાકિસ્તાન જો એરસ્પેસ બંધ કરે તો આપણે સમુદ્રી રસ્તો બંધ કરવો જોઈએ: સુબ્રમણ્યમ સ્વામી


આ અગાઉ બુધવારે જ જમ્મુ અને કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે જાહેરાત કરી હતી કે સરકાર કૂપવાડા અને હંદવાડા જિલ્લાઓમાં મોબાઈલ ફોન કનેક્ટિવિટી ખોલવા જઈ રહી છે. આ ઉપરાંત તેમણે દાવો કર્યો હતો કે ફોન અને ઈન્ટરનેટનો ઉપયોગ લોકો દ્વારા ઓછો થાય છે, મોટાભાગે તેનો ઉપયોગ આતંકવાદીઓ કરે છે.


જુઓ LIVE TV 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...