નવી દિલ્હીઃ મોદી મંત્રીમંડળની બેઠકમાં બીએસએનએલ અને એમટીએનએલ અંગે મોટો નિર્ણય લેવાયો છે. કેબિનેટ બેઠકમાં આ બંને કંપનીઓના વિલયને મંજુરી આપવામાં આવી છે. લાંબા સમયથી નુકસાનમાં ચાલી રહેલી આ બંને સરકારી કંપનીઓ માટે રાહતના સમાચાર છે. છેલ્લા કેટલાક સમયથી એવા સમાચાર આવતા હતા કે, સરકાર આ બંને કંપનીઓને બંધ કરવા જઈ રહી છે. જોકે, સરકારે એ સમાચારને અફવા જણાવ્યા છે. 


કેબિનેટના નિર્ણયોની જાહેરાત કરતા ટેલિકોમ મંત્રી રવિશંકર પ્રસાદે જણાવ્યું કે, ભૂતકાળમાં બીએસએનએલ સાથે અન્યાય થયો છે. હવે સરકાર બીએસએનએલ અને એમટીએનએલના વિલયની યોજના પર કામ કરી રહી છે. બીએસએનએલ માટે આકર્ષક વીઆરએસ પેકેજ લાવવામાં આવશે. તેની સાથે જ 4જી સ્પેક્ટ્રમ માટે લગભગ રૂ.4000 કરોડનું બજેટીય જોગવાઈ કરવામાં આવશે. 


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....