Modi Cabinet Expansion Live Update: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંત્રીમંડળનું વિસ્તરણ આજે સાંજે થશે. 24 જેટલા નામ સામે આવ્યા છે જે મંત્રી પદના શપથ લઈ શકે છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંડ આજે સાંજે રાષ્ટ્રપતિ ભવનમાં સાંજે 6 વાગે આ મંત્રીઓને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

યુપી-બિહારમાંથી આ નેતાઓને મળશે તક
નવી કેબિનેટમાં યુપી બિહારના જે નેતાઓના નામ ચર્ચાઈ રહ્યા છે તેમાં પશુપતિ પાર (લોક જનશક્તિ પાર્ટી), આરસીપી સિંહ (જેડીયુ), અનુપ્રિયા પટેલ (અપના દળ), અજય મિશ્રા (ભાજપ), એસપી સિંહ બઘેલ (ભાજપ), ચંદ્રેશ્વર પ્રસાદ ચંદ્રવંશી (જેડીયુ), રામનાથ ઠાકુર (જેડીયુ), દિલેશ્વર કામત (જેડીયુ), કૌશલ કિશોર (ભાજપ), બીએલ વર્મા, ભાનુપ્રતાપ સિંહ વર્મા, પંકજ ચૌધરી સામેલ છે. આ બાજુ પશુપતિ પારસને મંત્રી બનાવવા અંગે એલજેપી નેતા ચિરાગ પાસવાને વિરોધ વ્યક્ત કર્યો છે. 


ચિરાગ પાસવાનનું કહેવું છે કે પાર્ટી વિરોધી અને ટોચના નેતૃત્વને દગો કરવાના કારણે એલજેપીમાંથી પશુપતિ પારસને પહેલેથી જ પાર્ટીમાંથી નિષ્કાષિત કરવામાં આવ્યા છે. હવે તેમને મંત્રીમંડળમાં સામેલ કરવા પર પાર્ટી આકરો વિરોધ નોંધાવે છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube