નવી દિલ્હીઃ મોદી સરકારે જમ્મૂ અને કાશ્મીર માટે 80 હજાર કરોડના પેકેજની જાહેરાત કરી છે. સરકારે બુધવારે કાશ્મીરમાં વિકાસથી સંબંધિત કાર્ય માટે પેકેજને મંજૂરી આપી છે. તેની જાણકારી માનવ સંશાધન વિકાસ મંત્રાલયે આપી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેન્દ્ર સરકારના ઘણા મંત્રી જમ્મૂ-કાશ્મીરના પ્રવાસ પર છે. ત્યાંની વિકાસ પરિયોજનાઓની જાણકારી માટે કેન્દ્રીય મંત્રીઓ જમ્મૂ-કાશ્મીરનો સતત પ્રવાસ કરી રહ્યાં છે. હાલમાં પીયૂષ ગોયલ અને સ્મૃતિ ઇરાની સહિત ઘણા મંત્રીઓએ ત્યાંનો પ્રવાસ કર્યો અને વિકાસ વિશે જાણકારી મેળવી હતી. બીજીતરફ દિલ્હીમાં બુધવારે નડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેબિનેટની બેઠકમાં આ મંત્રીઓ પાસેથી કાશ્મીર વિશે ફીડબેક લીધો હતો. 


VIDEO: શ્રીનગરના લાલ ચોક પહોંચ્યા મોદીના મંત્રી, દિલ ખોલીને મળ્યા લોકો, ફુલ પણ આપ્યા


જમ્મૂ-કાશ્મીરના પ્રવાસ પર મંત્રી
કેન્દ્રીય અલ્પસંખ્યક મામલાના મંત્રી મુખ્તાર અબ્બાસ નકવી પણ બુધવારે શ્રીનગરના લાલ ચોક ગયા અને ત્યાંના લોકો સાથે કેટલોક સમય વાતચીત કરી હતી. નકવી લાલ ચોક પર રોકાયા અને કેટલાક દુકાનદારો તથા સ્થાનીક લોકો સાથે વાત કરી હતી. તેમણે લોકોને તે સમસ્યાઓ વિશે પૂછ્યું, જેનો તે સામનો કરી રહ્યાં છે. નકવીએ કહ્યું, સકારાત્મક માહોલ છે અને સરકાર લોકો વચ્ચે સંવાદ બનાવીને સકારાત્મકતા ફેલાવી રહી છે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...