નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરમાંથી મોદી સરકારે ગત મહિને કલમ 370 હટાવવાનો નિર્ણય લીધા બાદ ત્યાં અમન શાંતિ જોવા મળી રહી છે. સરકાર જમ્મુ અને કાશ્મીરને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવાની જાહેરાત કરી ચૂકી છે. આ સાથે જ મોદી સરકાર રાજ્ય વિકાસ માટે પ્રતિબદ્ધ છે. જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવાયા બાદથી છેલ્લા 30 દિવસમાં મોદી સરકારે રાજ્યની તસવીર બદલતા 50 મોટા નિર્ણયો લીધા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચંદ્રયાન 2: આજે મધરાત બાદ ઈતિહાસ રચાશે, ચંદ્રની સપાટી પર લેન્ડિંગ કરશે 'વિક્રમ'


1. કેન્દ્ર સરકાર તરફથી ગ્રામ પંચાયતોના વિકાસ માટે 4483 પંચાયતોને 366 કરોડ રૂપિયાની રકમ અપાઈ.


2. સરપંચોને પ્રતિ માસ 2500 રૂપિયા અને પંચોને 1000 રૂપિયાની પ્રોત્સાહન રકમ અપાઈ. 


3. ગ્રામ પંચાયતોના વહી ખાતાની દેખરેખ માટે 2000 એકાઉન્ટન્ટની ભરતીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. 


4. દરેક જિલ્લામાં 2 ડિજિટલ ગામ બનાવવામાં આવશે. 


5. મોદી સરકાર આધારના માધ્યમથી તમામ સરકારી યોજનાઓને જનતા સુધી પહોંચાડશે. 


6. આધાર દ્વારા તમામ સરકારી યોજનાઓને પણ જોડાશે. 


7. 80 હજાર કરોડના વડાપ્રધાન વિકાસ પેકેજને ગતિ અપાઈ. 


8. સરકારે 634 ગ્રામ પંચાયતોને ઈન્ટરનેટથી જોડવાનો નિર્ણય લીધો છે. 


9. વિકાસ યોજનાઓ માટે 8 હજાર કરોડ રૂપિયા અપાયા. 


10. જમ્મુ રિંગ રોડનો પહેલો તબક્કો પહેલી ડિસેમ્બર 2019 સુધીમાં પૂરો કરાશે. 


11. વડાપ્રધાન ગ્રામ સડક યોજના હેઠળ જમ્મુ અને કાશ્મીરમાં 1632 કિમી રસ્તો બનાવવામાં આવ્યો. 


12. કઠુઆ અને હંદવાડામાં ઈન્ડસ્ટ્રિયલ બાયો ટેક્નોલોજી પાર્કનું કામ શરૂ થયું. 


13. 15 લાખ ઘરોમાં પાઈપના માધ્યમથી 24 કલાક પીવાનું પાણી પહોંચાડવાનું કામ શરૂ થયું. 


14. બારામુલ્લાથી કૂપવાડા વચ્ચે રેલ લિંકના સર્વેને મંજૂરી. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...