નવી દિલ્હી: કોરોના (Corona virus) મહામારી સમયે રેમડેસિવિર ઈન્જેક્શનની અછતના કારણે મચેલા હાહાકાર વચ્ચે એક રાહતના સમાચાર આવ્યા છે. કેન્દ્ર સરકારે એન્ટી વાયરલ દવા રેમડેસિવિર પર ઈમ્પોર્ટ ડ્યૂટી હટાવી છે. મંગળવારે મોડી રાતે બહાર પાડેલા એક નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું છે કે દવાના નિર્માણ માટે ઉપયોગમાં લેવાતી સામગ્રીની આયાત પર ડ્યૂટી હટાવવામાં આવી છે. સરકારનું આ પગલું ઘરેલુ ઉપલબ્ધતા વધારવા અને ઈન્જેક્શનના ખર્ચના ઓછા કરવામાં મદદ કરશે. કહેવાય છે કે તેનાથી ઈન્જેક્શનની અછત દૂર થશે. અત્રે જણાવવાનું કે રેમડેસિવિરનો ઉપયોગ હાલ કોવિડ-19 દર્દીઓની સારવાર માટે થાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

31 ઓક્ટોબર સુધી રહેશે છૂટ
કેન્દ્ર સરકારે મંગળવારે રેમડેસિવિર, તેના કાચા માલ અને એન્ટીવાયરલ દવા બનાવવા માટે ઉપયોગમાં લેવાતી અન્ય સામગ્રી પર આયાત ડ્યૂટી માફ કરી છે. રાજસ્વ વિભાગ તરફથી જારી કરાયેલા નિવેદનમાં કહેવાયું છે કે કેન્દ્ર સરકારે જે વસ્તુઓ પર ડ્યૂટી માફ કરી છે તેમાં રેમડેસિવિરના નિર્માણમાં ઉપયોગમાં લેવાતી ફાર્માસ્યૂટિકલ સામગ્રી (એપીઆઈ), રેમડેસિવિર ઈન્જેક્શન અને બીટા સાઈક્લોડોડેક્સ્ટ્રિન સામેલ છે. ઈમ્પોર્ટ ડ્યૂટીમાં આ છૂટ 31 ઓક્ટોબર સુધી લાગુ રહેશે. 


Coronavirus: ભારતમાં B.1.617 ના કારણે કોરોનાની સ્થિતિ ગંભીર!, દુનિયા પણ હલી ગઈ, જાણો કેમ છે જોખમી?

કોરોનાનો ખાતમો હવે નજીક!, બજારમાં આવી ગઈ એવી દવા...4 દિવસમાં વાયરસને પછાડવાનો દાવો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube