નવી દિલ્હી: દિલ્હીમાં સંત ઈશ્વર સન્માન 2021 કાર્યક્રમને સંબોધિત કરતા RSS પ્રમુખ મોહન ભાગવતે કહ્યું કે આ 75 વર્ષ (આઝાદી બાદ) માં જેટલું આગળ વધવું જોઈતું હતું એટલું આપણે (દેશ) આગળ વધ્યા નહીં. દેશને આગળ લઈ જવાના રસ્તે ચાલીશું તો આપણે જરૂર આગળ વધીશું. આપણે તે રસ્તે ચાલ્યા નહીં એટલે આગળ વધ્યા નહીં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સમાજસેવીઓનું સન્માન
વિજ્ઞાન ભવનમાં સંત ઈશ્વર સન્માન સમારોહ વર્ષ 2021નું આયોજન કરાયું હતું. આ દરમિયાન સમાજની નિસ્વાર્થભાવથી સેવા કરનારા સંગઠનો અને વ્યક્તિઓને આજે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે સન્માનિત કર્યા. આ કાર્યક્રમનું આયોજન સંત ઈશ્વર ફાઉન્ડેશન દ્વારા રાષ્ટ્રીય સેવા ભારતીના સહયોગથી કરાયું. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube