નવી દિલ્હીઃ મુસ્લિમો (Indian Muslim) પર રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પ્રમુખ મોહન ભાગવત (Mohan Bhagwat)એ આપેલા નિવેદનથી સોશિયલ મીડિયા પર નવો વિવાદ શરૂ થઈ ગયો છે. હકીકતમાં તેમણે કહ્યું હતું કે, વિશ્વભરમાં સૌથી વધુ ભારતના મુસલમાન સંતુષ્ટ છે. આ વચ્ચે AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ પણ ભાગવત પર હુમલો કર્યો છે. તેમણે કહ્યું- 'અમારી ખુશીના માપદંડ શું છે? શું હવે ભાગવત નામનો વ્યક્તિ જણાવ છે કે અમારે બહુસંખ્યકોના કેટલા આભારી હોવું જોઈએ. અમારી ખુશી તેમાં છે કે બંધારણ પ્રમાણે અમારૂ આત્મસન્માન જળવાઈ રહે. અમને ન જણાવો કે અમે કેટલા ખુશ છીએ જ્યારે તમારી વિચારધારા ઈચ્છે છે...'


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ત્યારબાદ ટ્વિટર અને ફેસબુક પર લોકોના વિચારોનું પૂર આવી ગયું. એક તરફ તે લોકો છે જે ભાગવતના નિવેદન પર સહમતિ વ્યક્ત કરતા અહીંના બંધારણને શ્રેષ્ઠ ગણાવી રહ્યાં છે તો બીજીતરફ તેમની આલોચના અને મુસલમાનો પર અત્યાચારની વાત કહી રહ્યાં છે. 


Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો દેશના અન્ય સમાચાર