નવી દિલ્હીઃ આગામી દિવસોમાં વરસાદની જે સંભાવનાઓ દેખાઈ રહી છે તેને જોતાં લાગે છે કે, જુન મહિનામાં શરૂ થયેલી ચોમાસાની ઋતુ પછી પ્રથમ બે મહિનામાં જે ઘટ રહી છે તે પૂરી થઈ જશે. બુધવારે દેશની સૌથી મોટી હવામાન સંસ્થાના વડાએ આ સંભાવના વ્યક્ત કરી છે. તેમનું આ અનુમાન કૃષિ ક્ષેત્ર માટે સારા સમાચાર છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતના હવામાન વિભાગના ડિરેક્ટર જનરલ કે.જે. રમેશે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે, "દેશમાં અત્યારે જે રીતે ચોમાસું જામ્યું છે તેનાથી ઘણો ફાયદો થયો છે. આગામી દિવસોમાં વરસાદની અત્યાર સુધી જે ઘટ હતી તે ધીમે-ધીમે ઓછી થઈ જશે."


વડોદરામાં આભ ફાટ્યું: 6 કલાકમાં 18 ઇંચ, 50 સોસાયટી પાણીમાં ડૂબી


ઉલ્લેખનીય છે કે, જુન મહિનાથી સપ્ટેમ્બર સુધીની ચોમાસાની ઋતુમાં પ્રારંભમાં જે ઘટ જોવા મળી રહી હતી તેના કારણે વ્યાપક દુષ્કાળની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવતી હતી. અનેક ઉનાળુ પાક સુકાઈ ગયાના પણ સમાચાર હતા. જોકે, ચોખા, શેરડી, મકાઈ, કપાસ અને સોયાબીનના પાક માટે હવે જે વરસાદ પડ્યો છે તે ફાયદાકારક રહેશે. 


અમદાવાદ: વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી, ઠેર-ઠેર ટ્રાફિક જામ


IMDના વડા રમેશે જણાવ્યું કે, અત્યારે હવામાન ખાતાનું જે પ્રકારનું અનુમાન છે તેને જોતાં ઓગસ્ટના અંત સુધીમાં વરસાદની જે ઘટ છે તે સંપૂર્ણ પૂરી થઈ જશે. ચોમાસાએ જે પ્રકારે ઝડપ પકડી છે તેને જોતાં ઋતુ પ્રમાણેનો સરેરાશ વરસાદ જરૂર આવી જશે. 


જૂઓ LIVE TV....


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક...