દેહરાદૂનઃ Uttarakhand News: મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી  (Pushkar Singh Dhami) ના આશ્વાસન બાદ અંકિતા ભંડારી  (Ankita Bhandari) નો પરિવાર તેના અંતિમ સંસ્કાર કરવા માટે તૈયાર થઈ ગયો છે. અંકિતાના અંતિમ સંસ્કાર NIT ઘાટ પર કરવામાં આવશે. મુખ્યમંત્રી ધામીએ કહ્યુ કે, તેમને પરિવારની માંગ મંજૂર છે. અંકિતા ઋષિકેશના એક રિઝોર્ટમાં કામ કરતી હતી અને તેની હત્યા કરી દેવામાં આવી હતી. અંકિતાનો મૃતદેહ નહેરમાંથી મળી આવ્યો હતો. આ મામલામાં પોલીસે રિઝોર્ટના માલિક પુલકિત આર્ય સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુખ્યમંત્રીએ પરિવારને આપ્યું આશ્વાસન
તો અંકિતાનો પરિવાર પોસ્ટમોર્ટમ રિપોર્ટ મળ્યા પહેલા તેના અંતિમ સંસ્કાર કરવાનો ઇનકાર કરી રહ્યો હતો. અંકિતાના પિતા એમ્સના પ્રાઇમરી રિપોર્ટથી સંતુષ્ય નહતા, જેમાં કહેવામાં આવ્યું કે મોત પાણીમાં ડૂબવાને કારણે થયું છે. પરિવારની નારાજગી જોતા સીએમ ધામીએ અંતિમ સંસ્કાર કરવાની અપીલ કરી હતી. મુખ્યમંત્રી ધામીએ પરિવારને કહ્યું કે તમારી દરેક માંગ મંજૂર છે. તેમણે કહ્યું કે કેસની સુનાવણી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં થશે. તેમણે ફાસ્ટ ટ્રેક કોર્ટ માટે રાજ્યના ચીફ જસ્ટિસને પત્ર લખ્યો છે. સાથે કહ્યું કે પોસ્ટમોર્ટમનો ડિટેલ રિપોર્ટ પરિવારને સોંપવામાં આવશે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube