નવી દિલ્હી: અલ્પસંખ્યક મામલાઓના કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીના નેતૃત્વમાં મંગળવારે દિલ્હીના અંત્યોદય ભવનમાં મૌલાના આઝાદ એજ્યુકેશન ફાઉન્ડેશનની 112મી ગવર્નિંગ બોડી અને 65મી સામાન્ય સભા યોજાઈ. આ બેઠક બાદ મુખ્તાર અબ્બાસ નકવીએ ન્યૂઝ એજન્સી ANI સાથે વાતચીતમાં કહ્યું કે "મોદી સરકારે સાંપ્રદાયિકતા અને તૃષ્ટિકરણની 'બીમારી'ને ખતમ કરી છે અને દેશમાં સ્વસ્થ સમાવેશી વિકાસનો માહોલ બનાવ્યો છે." નકવીએ કહ્યું કે સરકાર સમાવેશી વિકાસ, સર્વસ્પર્શી વિશ્વાસ પ્રત્યે પ્રતિબદ્ધ છે. 


VIDEO: કોંગ્રેસની સમીક્ષા બેઠકમાં નેતાઓ લડી પડ્યા, જાણો શું છે મામલો 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું કે દેશભરમાં મોટી સંખ્યામાં મદરેસાઓને ઔપચારિક શિક્ષણ અને મુખ્ય પ્રવાહના શિક્ષણ સાથે જોડાશે જેથી કરીને મદરેસામાં ભણતા બાળકો પણ સમાજના વિકાસમાં યોગદાન આપી શકે. તેમણે અલ્પસંખ્યકોને મળનારી સ્કોલરશીપ પર કહ્યું કે કેન્દ્ર સરકાર પાંચ કરોડથી વધુ ગરીબ અલ્પસંખ્યક વર્ગોના ગરીબ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને વજીફા આપશે. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર અલ્પસંખ્યક વર્ગોના સશક્તિકરણની સાથે શૈક્ષણિક, સામાજિક અને આર્થિક વિકાસ માટે પણ પ્રતિબદ્ધ છે. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...