મુંબઈઃ દેશમાં કોરોના વાયરસ (Coronavirus) ના વધી રહેલા કેસો વચ્ચે મુંબઈના મેયર કિશોરી પેડનેકર (Kishori Pednekar) એ હરિદ્વારમાં ચાલી રહેલા મહાકુંભ (Haridwar Mahakumbh 2021) ને લઈને વિવાદિત નિવેદન આપ્યું છે. મેયર કિશોરી પેડનેકરે કહ્યું કે, જે લોકો કુંભથી પરત ફરી રહ્યાં છે તે પ્રસાદમાં કોરોના વહેંચશે


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોતાના ખર્ચ પર ક્વોરેન્ટીન થાય શ્રદ્ધાળુ
મીડિયા સાથે વાત કરતા મુંબઈના મેયર કિશોરી પેડનેકર (Kishori Pednekar) એ કહ્યું કે, કુંભ (Haridwar Mahakumbh 2021) માં મોટી સંખ્યામાં લોકો સ્નાન માટે ગયા હતા, જે પોત-પોતાના રાજ્યમાં પરત ફરી રહ્યાં છે. આ લોકો પોતાના રાજ્યોમાં પ્રસાદના રૂપમાં કોરોના (Coronavirus) વેચવાનું કામ કરશે. મુંબઈમાં પણ અમે આ વિચારી રહ્યાં છીએ. 


પૂર્વ CM લાલૂ યાદવને મોટી રાહત, દુમકા કોષાગર કેસમાં હાઈકોર્ટે આપ્યા જામીન


કોરોના સંક્રમણમાં મહારાષ્ટ્ર પ્રથમ સ્થાને
મહત્વનું છે કે કોરોના સંક્રમણના મામલામાં મહારાષ્ટ્ર દેશમાં પ્રથમ સ્થાને છે. રાજ્યમાં પુણે, મુંબઈ, ઠાણે, નાગપુર અને ઉસ્માનાબાદમાં સતત સંક્રમણમાં વધારો થઈ રહ્યો છે. યરાજ્યના કેટલાક ભાગમાં મેડિકલ ઓક્સીજનની કમી અને રેમડેસિવિર ઇન્જેક્શનની કાળાબજારીના સમાચાર સામે આવી રહ્યાં છે. જેને જોતા સરકાર ઓક્સીજનની સપ્લાઈ વધારવા અને ઇન્જેક્શનોની કિંમત પર અંકુશ લગાવવાનું કામ કરી રહી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube