નવી દિલ્હી: કેન્દ્રીય તપાસ બ્યુરો (CBI) શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં ચોંકાવનારો ખુલાસો કરતા કહ્યું કે બિહારના મુઝફ્ફરપુર શેલ્ટર હોમ શારીરિક શોષણ કેસના મુખ્ય આરોપી બ્રજેશ ઠાકુર અને તેના સહયોગીઓએ 11 છોકરીની કથિત રીતે હત્યા કરી હતી અને એક સ્મશાન ઘાટ પાસેથી 'હાડકાની પોટલી' મળી આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલા પોતાના સોગંદનામામાં સીબીઆઈએ જણાવ્યું કે તપાસ દરમિયાન નોંધાયેલા પીડિતોના નિવેદનમાં 11 છોકરીઓના નામ સામે આવ્યાં છે, જેમની ઠાકુર અને તેના સહયોગીઓએ કથિત રીતે હત્યા કરી હતી. એજન્સીએ કહ્યું કે એક આરોપીએ આપેલી માહિતીના આધારે એક સ્મશાન ઘાટના ખાસ સ્થાન પર ખોદકામ કરાયું અને ત્યાંથી આ હાડકાની પોટલી મળી આવી છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...