મુંબઈ: નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB) ના મુંબઈ ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે અંગે રોજેરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. હવે તેમના ધર્મ અંગે મોટો ખુલાસો થયો છે. એક મૌલાનાએ દાવો કર્યો છે કે સમીર વાનખેડે અને શબાના કુરેશી બંને મુસલમાન હતા આથી તેમણે નિકાહ કરાવ્યા હતા. 


સમીરનો હિન્દુ હોવાનો દાવો ખોટો- મૌલાના
મૌલાના મુઝમ્મિલ અહેમદનું કહેવું છે કે જો સમીર વાનખેડેનો દાવો હોય કે તેઓ હિન્દુ છે તો તેઓ ખોટું બોલી રહ્યા છે. કારણ કે નિકાહ સમયે તેઓ મુસલમાન હતા અને તેમના પિતા પણ મુસલમાન હતા. મૌલાનાએ કહ્યું કે સમીર અને શબાના બંને મુસલમાન હતા. એટલે જ નિકાહ કરાવ્યા હતા અને કાર્યક્રમમાં હજાર બે હજાર લોકો હાજર રહ્યા હતા. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube