હિન્દુ ધર્મમાં કૈલાસ પર્વત (Kailash Mountain) નું ખુબ મહત્વ છે. કારણ કે તે ભગવાન શિવ (Lord Shiva) નું નિવાસ સ્થાન ગણાય છે. અહીં એ પણ વિચારવા જેવી વાત છે કે દુનિયાના સૌથી ઊંચા શિખર માઉન્ટ એવરેસ્ટ (Mount Everest) ને અત્યાર સુધીમાં 7000થી વધુ લોકો ફતેહ કરી ચૂક્યા છે. જેની ઊંચાઈ 8848 મીટર છે. પરંતુ આજ સુધી કૈલાશ પર્વત પર કોઈ ચઢાણ કરી શક્યું નથી. એમાં પણ તેની ઊંચાઈ તો એવરેસ્ટથી લગભગ 2000 મીટર ઓછી એટલે કે 6638 મીટર છે. આ અત્યાર સુધી રહસ્ય બની રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કૈલાશ પર્વત પર કોઈ ચઢાણ નથી કરી શક્યું તેને લઈને જાત જાતની કહાનીઓ ફેલાયેલી છે. કેટલાક  લોકોનું માનવું છે કે કૈલાશ પર્વત પર શિવજી નિવાસ કરે છે અને આથી કોઈ જીવિત વ્યક્તિ ત્યાં પહોંચી શકતો નથી. મૃત્યુ બાદ કે પછી જેણે ક્યારેય કોઈ પાપ ન કર્યું હોય તેવા જ કૈલાશ પર જઈ શકે છે. 


સૂર્યોદય પહેલા અજમાવો આ એક અકસીર ઉપાય, ઘરના સઘળા દુ:ખ ચપટીમાં થશે દૂર


એવી પણ માન્યતા છે કે કૈલાશ પર્વત પર થોડુ પણ ચઢો તો વ્યક્તિ દિશાહિન થઈ જાય છે. દિશા વગર ચઢાણ કરવું એ મોતને પોકારવા જેવું છે. આથી પણ કોઈ વ્યક્તિ કૈલાશ ચઢાણ કરી શક્યો નથી. 


મીડિયા રિપોર્ટ્સ મુજબ એક પર્વતારોહકે પોતાના પુસ્તકમાં લખ્યું હતું કે તેણે કૈલાશ પર્વત ચડવાની કોશિશ કરી હતી પરંતુ આ પર્વત પર રહેવું અશક્ય છે. કારણ કે ત્યાં શરીરના વાળ અને નખ જલદી વધે છે. આ ઉપરાંત કૈલાશ પર્વત વધારે પડતો રેડિયોએક્ટિવ પણ છે. 


એક એવું મંદિર એવું છે જ્યાં મોટા મોટા નેતાઓ-અધિકારીઓને પ્રવેશ કરતા લાગે છે ડર!


આ ઉપરાંત કહે છે કે કૈલાશ પર્વતનો સ્લોપ પણ 65 ડિગ્રીથી વધુ છે. જ્યારે માઉન્ટ એવરેસ્ટનો તો 40-60 સુધીનો છે. આ સ્લોપ પણ ચઢાણ મુશ્કેલ  બનાવે છે. એક કારણ એ પણ છે કે પર્વતારોહકો એવરેસ્ટ પર તો ચડી જાય છે પરંતુ કૈલાશ પર્વત પર ચડી શકતા નથી. 


જુઓ LIVE TV


પ્રભુ શ્રીરામને એક બહેન પણ હતી, રામાયણના આ 5 રહસ્યોથી તમે પણ અજાણ હશો


જો કે કહે છે કે 92 વર્ષ અગાઉ વર્ષ 1928મં એક બૌદ્ધ ભિક્ષુ મિલારેપા એક માત્ર એવા વ્યક્તિ હતાં કે જેઓ કૈલાશ પર્વતની તળેટીમાં જઈને તેના પર ચઢવામાં સફળ રહ્યાં હતાં. તેઓ આ પવિત્ર અને રહસ્યમયી પર્વત પર જઈને જીવતા પાછા ફરનારા દુનિયાના પહેલા વ્યક્તિ હતાં. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube