મુંબઈઃ નાગપુરથી હૈદરાબાદ માટે ઉડાન ભરવા સમયે ગુરૂવારે રાત્રે એક ચાર્ટર પ્લેનનું આગળું ટાયર રન વે પર અલગ થઈ ગયું હતું. ત્યારબાદ એર એમ્બ્લુયન્સનું મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું છે. એર એમ્બ્યુલન્સ જેટસર્વ એવિએશન તરફથી ઓપરેટ કરવામાં આવતું જા રે સી-90 એરક્રાફ્ટ VT-JIL નું આગલું ટાયર નાગપુરના રનવે 32 પર ઉડાન ભરતા સમયે વિમાનથી અલગ થઈ ગયું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ મેડિકલ ફ્લાઇટમાં બે ક્રૂ મેમ્બર, એક ડોક્ટર અને દર્દી સહિત પાંચ લોકો સવાર હતા. મુંબઈ એરપોર્ટ પર આ નોન શેડ્યૂલ ફ્લાઇટને ઇમજરન્સી લેન્ડિંગ હેઠળ ઉતારવામાં આવી. બધા લોકોને મુંબઈમાં ઇમરજન્સી લેન્ડિંગ બાદ સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા છે. 


દેશના અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube