નવી દિલ્હી: પીએમ નરેન્દ્ર મોદી 8 નવેમ્બરના રોજ જેની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી તે કરતારપુર કોરિડોર (Kartarpur Corridor)ના ભારતીય ભાગનું ઉદ્ધાટન કરશે. તેના એક દિવસ બાદ 9 નવેમ્બરના રોજ પાકિસ્તાન પણ કરતારપુર કોરિડોરના પોતાના હિસ્સાનું ઉદ્ધાટન કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતીય તીર્થયાત્રીઓ માટે પાકિસ્તાન (Pakistan) સ્થિત પવિત્ર શીખ ગુરુદ્વારા કરતારપુર સાહિબ(Kartarpur Sahib) માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન આજથી શરૂ થશે. કરતારપુર યાત્રા માટે કેન્દ્ર સરકારે ખાસ ફોર્મ બહાર પાડ્યું છે. જેને ઓનલાઈન ભરી શકાય છે. 


કરતારપુર યાત્રા: આજથી શરૂ થશે ઓનલાઈન રજિસ્ટ્રેશન, વિઝાની જરૂર નથી, જોઈશે માત્ર પાસપોર્ટ


કરતારપુર સાહિબના દર્શન માટે વિઝાની જરૂર પડશે નહીં. માત્ર પાસપોર્ટ જ જોઈશે. અત્રે જણાવવાનું કે કરતારપુર સાહિબ ગુરુદ્વારા પાકિસ્તાનના પંજાબ પ્રાંતના નારોવાલ જિલ્લામાં સ્થિત છે. જો કે ડેરા બાબા નાનકની નજીક સરહદથી માત્ર 4.5 કિમી દૂર છે. આ ગુરુદ્વારા શીખો માટે ખુબ જ પવિત્ર છે. કારણ કે ગુરુ નાનક દેવે પોતાના જીવનના 18 વર્ષ અને પોતાનો અંતિમ સમય પણ અહીં જ વિતાવ્યો હતો. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...