નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધોમાં સુધાર જોવા મળી રહ્યો છે. પીએમ નરેન્દ્ર મોદી (PM Modi) એ પાકિસ્તાન નેશનલ ડેના અવસર પર પાક પ્રધાનમંત્રી ઇમરાન ખાન (Imran khan) ને પત્ર લખી શુભેચ્છા આપી છે. પીએમ મોદીએ લખ્યુ કે, પાકિસ્તાન નેશનલ ડે પર પાકિસ્તાનની જનતાને ખુબ ખુબ શુભેચ્છાઓ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમ મોદીએ મોકલ્યો પત્ર
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુભકામનાઓની સાથે આતંકવાદ મુદ્દે ચેતવણી પણ આપી દીધી. તેમાં તેમણે શુભકામનાઓ આપતા કહ્યુ કે, ભારત પાકિસ્તાન પાસે સદ્ભાવપૂર્ણ સંબંધની ઈચ્છા રાખે છે. તે માટે પરસ્પર વિશ્વાસ અને આતંકનો ખાતમો થવો જરૂરી છે. આ પહેલા ઇમરાન ખાન કોવિડ પોઝિટિવ આવ્યા ત્યારે પણ પીએમ મોદીએ જલદી સાજા થવાની કામના કરી હતી. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube