નવી દિલ્હીઃ કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર (Narendra singh tomar) એ કહ્યુ કે, સરકાર કૃષિ બિલનો વિરોધ કરી રહેલા (Farmers protest) કિસાન સંગઠનો સાથે વાતચીત માટે તૈયાર છે. તેમણે કિસાન સંગઠનોને એકવાર ફરી અપીલ કરી છે કે તે પોતાનું આંદોલન સમાપ્ત કરી દે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નરેન્દ્ર સિંહ તોમરે કહ્યુ, 'કિસાનોના મનમાં અસંતોષ નથી. જે કિસાન સંગઠન આ બિલનો વિરોધ કરી રહ્યા છે તેની સાથે સરકાર વાતચીત માટે તૈયાર છે. હું કિસાન સંગઠનોને આગ્રહ કરીશ કે તે પોતાનું આંદોલન સ્થગિત કરે જો તે વાતચીત માટે આવશે તો સરકાર તૈયાર છે.'


Corona: માત્ર તાવ, શરદી જ નહીં આ લક્ષણો હોય તો પણ કોરોના ટેસ્ટ કરાવજો   


દિલ્હીની સરહદો પર કિસાનો મહિનાઓથી આંદોલન કરી રહ્યાં છે. તો કિસાન નેતા દેશના અન્ય વિસ્તારમાં આ કાયદાની વિરુદ્ધ ખેડૂતોને એક કરી રહ્યાં છે. વિરોધ કરી રહેલા કિસાનો કેન્દ્ર પાસે ત્રણેય વિવાદાસ્પદ કાયદા પરત લેવાની અને એમએસપી પર કાયદાકીય ગેરંટી આપવાની માંગ કરી રહ્યાં છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube