નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2019ના 6 તબક્કાના મતદાન પૂરા થઈ ગયા છે. હવે છેલ્લા તબક્કાનું મતદાન 19મી મેના રોજ છે. આ બધા વચ્ચે કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. કોંગ્રેસના ફાયરબ્રાન્ડ નેતા અને પંજાબ સરકારમાં મંત્રી નવજોતસિંહ સિદ્ધુનું ગળું ખરાબ થયું છે. લોકસભા ચૂંટણી સમયે સિદ્ધુએ પોતાના વિવાદાસ્પદ નિવેદનો અને જુમલા તથા આક્રમક પ્રહારોથી ચૂંટણી પ્રચારમાં ગરમાવો પેદા કર્યો હતો. અચાનક ગળું ખરાબ થતાં કોંગ્રેસ અને સિદ્ધુ બંને માટે ચિંતાનો વિષય બની ગયો છે. 19મી મેના રોજ પંજાબની 13 લોકસભા બેઠકો પર મતદાન થવાનું છે. પંજાબમાં જીત માટે તમામ રાજકીય પક્ષો હાલ ધૂઆંધાર પ્રચાર કરી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમિત શાહે મમતા બેનર્જીને ફેંક્યો પડકાર, કહ્યું- 'હું જય શ્રી રામ બોલું છું, ધરપકડ કરી બતાવો'

કોંગ્રેસના નેતા નવજોત સિંહ સિદ્ધુ પણ પોતાની પાર્ટીને જીતાડવા માટે તાબડતોડ પ્રચાર કરી રહ્યાં હતાં. અચાનક નવજોત સિંહ સિદ્ધુને લઈને એક એવા સમાચાર  આવી રહ્યાં છે કે રેલીઓમાં ભાષણ આપી આપીને તેમનું ગળું ખરાબ થઈ ગયું છે. હાલ તેઓ સારવાર હેઠળ છે. નવજોત સિંહ સિદ્ધુના કાર્યાલયથી બહાર પાડવામાં આવેલા એક નિવેદનમાં કહેવાયું છે કે સતત પ્રચારને કારણે સિદ્ધુનું ગળું ખરાબ થઈ ગયું છે. ત્યારબાદ ડોક્ટરો તેમની સારવાર કરી રહ્યાં છે. તેઓ જલદી ચૂંટણી પ્રચારમાં પાછા ફરશે. 


'થયું તે થયું' એ માત્ર ત્રણ શબ્દ નથી... પરંતુ હવે જનતા કહે છે કે 'હવે બહુ થયું': પીએમ મોદી


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...