નવી દિલ્હી: નવજોત સિંહ સિદ્ધુએ પંજાબ સરકારમાંથી રાજીનામું આપી દીધુ છે. કહેવાય છે કે મુખ્યમંત્રી અમરિન્દર સિંહ સાથે ઘણા સમયથી ચાલી રહેલા મતભેદના પગલે સિદ્ધુએ રાજીનામું આપ્યું છે. તેમણે કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીની મુલાકાત કરી અને રાજીનામું સોંપ્યું. નોંધનીય છે કે શનિવારે કેબિનેટ મંત્રી બ્રમ્હા મોહિન્દ્રાએ પોતાના મંત્રીમંડળના સહયોગી સિદ્ધુને અપીલ કરી હતી કે તેઓ ઉર્જા મંત્રાલયનો કાર્યભાર સંભાળી લે. પરંતુ સીએમ કેપ્ટન અમરિન્દર સિંહથી નારાજ સિદ્ધુએ પદ સંભાળવાની જગ્યાએ રાજીનામું આપી દીધુ.


VIDEO: મુકુલ રોયના નિવેદનથી પ.બંગાળમાં ખળભળાટ, કર્ણાટક-ગોવા જેવા થશે હાલ?


કર્ણાટક સંકટમાં નવો વળાંક, કોંગ્રેસના બે બળવાખોર ધારાસભ્યો રાજીનામું પાછું ખેંચવા તૈયાર


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...