મુંબઈઃ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના ખાનગી નિવાસ માતોશ્રી બહાર હનુમાન ચાલીસાના પાઠ કરવાની જાહેરાત કરનાર અપક્ષ સાંસદ નવનીત રાણા અને તેમના પતિ રવિ રાણાને 13 દિવસ બાદ જેલમાંથી છોડવામાં આવ્યા છે. જેલમાંથી છૂટ્યા બાદ નવનીત રાણા મેડિકલ ચેકઅપ માટે લીલાવતી હોસ્પિટલ પહોંચ્યા હતા અને ત્યાં તેમને દાખલ કરવામાં આવ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવે લીલાવતી હોસ્પિટલથી સાંસદની તસવીરો સામે આવી છે, જેમાં તે રડી રહ્યાં છે. તેમના ધારાસભ્ય પતિ રવિ રાણા તેમને સંભાળવાનો પ્રયાસ કરી રહ્યાં છે. તસવીરોને જોઈને લાગે છે કે નવનીત રાણા દર્દમાં છે. તેમને જેલમાંથી છોડવા માટે પણ સ્વાસ્થ્યનો હવાલો આપવામાં આવી રહ્યો હતો. સાંસદે આરોપ લગાવ્યો હતો કે જેલ તંત્રણે તેમની જરૂરીયાતોનું ધ્યાન રાખ્યું નથી. 


દેશમાં વધી રહેલી ગરમીથી પીએમ મોદી ચિંતિત, ચોમાસાની તૈયારીને લઈને પણ યોજી બેઠક


મહત્વનું છે કે જે વિવાદમાં બંનેની ધરપકડ થઈ તેની ચર્ચા દેશભરમાં ચાલી રહી છે. અમરાવતીથી સાંસદ નવનીત રાણાએ માતોશ્રી બહાર હનુમાન ચાલીસાના પાઠ કરવાનો નિર્ણય કર્યો હતો. તેઓ ત્યાં પહોંચ્યા હતા, પરંતુ ત્યાં શિવસૈનિકોએ જોરદાર બબાલ કરી હતી. ત્યારબાદ રાણા દંપતિ વિરુદ્ધ રાજદ્રોહનો કસે દાખલ કરવામાં આવ્યો અને 23 એપ્રિલે બંનેની ધરપકડ કરવામાં આવી હતી. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube